સિરોહી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) કહ્યું છે કે પોક્સો એક્ટ (Pocso Act) હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે આ અંગે સંસદે (Parliament) વિચાર કરવો જોઈએ. કોવિંદે કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર વિષય છે. જેના પર બહુ ઓછું કામ થયું છે. તેમણે કહ્યું કે પુત્રીઓ પર આસુરી પ્રહાર દેશની આત્માને હચમચાવી નાખે છે. મહિલાઓના સન્માન માટે પુત્રોને સંવેદનશીલ બનાવવા એ દરેક નાગરિકની જવાબદારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી


ઉલ્લેખનીય છે કે તેલંગણામાં દિશા ગેંગરેપ મર્ડર (Hyderabad gangrape) ના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે નિર્ભયા કેસના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલાઈ છે. ગૃહ મંત્રાલયે મોતની સજાને માફ કરવાની અરજી ફગાવી દીધી છે. હવે દોષિતની દયા અરજી (Mercy Petition) પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ તો આ અગાઉ જ અરજીને ફગાવી ચૂક્યા છે. 


હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત


હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચાર આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
અત્રે જણાવવાનું કે હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad) ના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે (VC Sajjanar) એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં. પોલીસ અધિકારીએ માનવાધિકાર આયોગ કે અન્ય કોઈ સંગઠનના સવાલો પર સણસણતો જવાબ આપતા કહ્યું કે અમે દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છીએ. 


જુઓ LIVE TV


હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'


ભાજપના મહિલા સાંસદે એન્કાઉન્ટર પર ઉઠાવ્યાં સવાલ
 ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter)  પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે. 


અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube